ગ્રામ સેવા મંદિર સંસ્થા, સંચાલિત મહિલા ગ્રામ વિદ્યાપીઠ
ગ્રામસેવા મંદિર, મહિલા ગ્રામ વિદ્યાપીઠ, નારદીપુર સંસ્થામાં બી.આર.એસ. ગ્રામ વિદ્યા શાખા – સંદર્ભે બે પ્રકારના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે – રૂરલ ફાર્મ મેનેજમેન્ટ તથા રૂરલ હોમ સાયન્સ મેનેજમેન્ટ એન્ડ હેલ્થ, બંન્ને પ્રકારના અભ્યાસક્રમમાં મૂળભૂતરૂપે ગાંધીજીના મંતવ્ય મુજબના ગ્રામીણ વિકાસ – ગ્રામોત્થાન અને ગ્રામ્ય આરોગ્ય બાબતોને ધ્યાનમાં લઈને વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે. આ અભ્યાસક્રમના અંતે વિદ્યાર્થિનીઓ ગ્રામીણ વિકાસના કાર્યો કરવા માટે વધુ સુર્દઢ બને વધુ પ્રેરાય અને સાથે આર્થિક ઉપાર્જન કરીને આદર્શ ગામડાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી શકે.