સંસ્થાનો ટૂંકો ઈતિહાસ
સ્વાતંત્ર્ય સેનાની સંસ્થાના સ્થાપક સ્વ.પંડિતજી કન્યા કેળવણીના હિમાયતી હોવાથી સમાજમાંમહિલા શિક્ષિત બની આત્મનિર્ભર થઈ સ્વમાનભેર પોતાની આગવી ઓળખ ઉભી કરે તે ઉદ્દેશથી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.
કન્યાકેળવણી દ્વારા ગ્રામીણ સમાજનાં પરિવર્તનથી સમાજનો વિકાસ થાય તે સંસ્થાની ભૂમિકા રહી હતી. સમાજના શિક્ષિતલોકો રસ લેતા તથા સહકાર આપતા તેથી જ સંસ્થાના સ્થાપક પંડિતજીને ગુજરાતના મહર્ષિ કર્વે, ગ્રામોત્કર્ષના ભેખધારી જેવા ઉપનામોથી નવાજવામાં આવતા.
અંતરિયાળ ગ્રામીણ વિસ્તારની દિકરીઓ શિક્ષિત બની આત્મનિર્ભર બને સંસ્થા તે આશયથી ભૂતકાળમાં તેમજ સાંપ્રત સમયમા એ જ ઉદ્દેશથી પ્રવેશ બાબતે અગ્રિમતા આપે છે. આ બંને વચ્ચે કોઈ ફરક રહ્યો નથી.
શરૂઆતના તબક્કે બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર, કન્ડેસ કોર્સ – વિધવા – ત્યકતા બહેનો બે વર્ષના અભ્યાસ પછી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી પી.ટી.સી. નો અભ્યાસ કર્યા બાદ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે જોડાઈ સમાજમાં માનભેર જીવન જીવે છે. આ સમય દરમ્યાન સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઉત્તરોતર વધ્યુ તે શૈક્ષણિક પરિવર્તન જોવા મળ્યું છે.